Tuesday, August 9, 2011

kalyug

કળિયુગ

કળિયુગ છે આ ..
સલાહકાર લાખો મળશે ,
સમજદાર કોઈ નહિ મળે ..
નફરત ભારોભાર મળશે ,
એનો હિસ્સેદાર કોઈ નહિ મળે ..

કળિયુગ છે આ ..
અહી લાગણી ઓ ના વિક્રેતા મળશે ,
તો ક્યાંક કોમવાદ ના પ્રણેતા હશે ,
બંડ - ખોરો ના નેતા ય હશે ..
ને આત્મઘાતી હત્યારા પણ મળશે ..

કળિયુગ છે આ ..
ખાદી ધારી લૂટેરાઓ તો મળશે ,
પણ નવો ભામાશા નહિ મળે ..
શિવાજી ને , ભગતસિંહ ની ભૂમિ પર આજે,
ન્યોછાવર થનારા માથાં નહિ મળે ..

કળિયુગ છે આ ..
કરોડો ની આબાદી માં ,
જન -મેદની ના ભારા માં
એક મુઠ્ઠી એકતા નહિ મળે !
દેશપ્રેમ ને જણનારી જનેતા નહિ મળે ..
દેશપ્રેમ ને જણનારી જનેતા નહિ મળે ..

2 comments: